નવી દિલ્હી: IIM કોઝિકોડના વિદ્યાર્થીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કરતા પીએમ મોદી (Narendra Modi) એ કહ્યું કે ખુલ્લાપણું, વિભિન્ન વિચારો પ્રત્યે સન્માન અને નવાચાર ભારતીય ચિંતનની સહજ પ્રક્રિયા છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દુનિયા ધૃણા, હિંસા, સંઘર્ષ અને આતંકવાદથી મુક્તિ ઈચ્છે છે તો ભારતીય જીવનની રિતભાત એક આશાના કિરણ જેવું છે. તેમણે કહ્યું કે ભારતે સંઘર્ષને ટાળવા માટે ક્યારેય તાકાતનો ઉપયોગ કર્યો નથી પરંતુ વિમર્શની શક્તિથી સંઘર્ષને ટાળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી પર નહીં લટકાવાય, ખાસ જાણો કારણ


આ સાથે જ તેમણે કહ્યું કે પશ્ચિમી દેશોની મહિલાઓને મતનો અધિકાર આપવામાં દાયકા ગયા પરંતુ આપણા બંધારણે પહેલા દિવસથી જ મહિલાઓને આ અધિકાર આપી દીધો. તે સાથે જ પીએમ મોદીએ કહ્યું કે ભારતીય ચિંતને દુનિયાને ઘણું બધુ આપ્યું અને હજુ પણ ઘણું બધુ આપવાની સંભાવના છે. મહાત્મા ગાંધીએ દુનિયાને શાંતિના એ સંદેશાઓ આપ્યાં જેના લીધે ભારતને આઝાદી મળી. સંવેદના, ભાઈચારો, ન્યાય સેવા અને ખુલ્લાપણું એ ભારતના કોર વિચાર રહ્યાં છે અને આ આદર્શો આજે પણ ભારતીય મૂલ્યોના કેન્દ્રબિન્દુ છે. પોતાના આ જ મૂલ્યોના કારણે આપણી ભૂમિએ દુનિયાનું સ્વાગત કર્યું. જ્યારે બાકીના ન કરી શક્યા ત્યારે આપણી સભ્યતા તે વખતે વિક્સી. કેમ? કારણ કે આપણે શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપ્યો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...